Friday, October 17, 2008

એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં
દુઃખમાં હ્રદયને રાખો,રાખો ન દુઃખ હ્રદયમાં.

નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં
એ રહી ગયા શરમમાં,હું રહી ગયો વિનયમાં

જેમાં થતાં પરાજય આવે ન લાજ કોઈ
એમાં વિજય મળે તો રાચી ઊઠો વિજયમાં

દેવાને રાહ તમને સઘળાં ખસી ગયા છે
આવો હવે તો આવો મારા બુરા સમયમાં!!

માનવની ચડતી-પડતી ખુદમાં જ ઉદભવે છે
પડતી નથી જરૂરત અંતરની અસ્તોદયમાં

દિવસના હો અમલ તો જીવન 'મરીઝ'પલટે
જે યોજના કરું છું રાતે મદિરાલય માં..