Wednesday, August 22, 2007

કહી દો આ સૌ પારેવાંને,
હવે ચણ નથી નાખવાનો.

કુણી લાગણીઓની અંદર
ટપકતાં આંસુ નથી લુછવાનો.

કાચીંડા સમ આ જીવનમાં,
હવે રંગબાજી નથી કરવાનો

ને સંવેદનાની બુઠઠી કીનારને
હવે ધારદાર નથી ઘસવાનો.

તોરણો ભલે બંધાયા માંડવે
યાદોને વીદાય નથી આપવાનો.

ને પીંડ ભલે બંધાય ગઝલનો
શબ્દોને રમત નથી રમાડવાનો.